કોને કહુ કે વ્યથા કેવી હોવી જોઇએ,
વ્યથાની પણ પ્રથા તદ્દન નવી હોવી જોઇએ.
વિરહની વ્યથા કહેતા પણ હિંમત હોવી જોઇએ, સાથે
પ્રેમીકાની પણ વ્યથા ખુબજ ગંભીર હોવી જોઇએ.
કોણે કહ્યુ કે સજા અતી કઠોર હોવી જોઇએ,
ભલે ન્યાયાધિરાજ કાતીલ હોય તોય મજા હોવી જોઇએ.
નથી માનતો કે તું હરદમ સાથે હોવી જોઇએ,
પણ વિરહની પણ એક નક્કિ સીમા હોવી જોઇએ.
"નિશાન"ની ચીતા ખરેખર યોગ્ય હોવી જોઇએ,
કે વિરહની સાથે પણ થોડી વ્યથા હોવી જોઇએ.
-કુશલ "નિશાન" દવે.
Thursday 27 March 2008
વ્યથા
Subscribe to:
Posts (Atom)